19/05/2023
શિક્ષણ, સંસ્કાર સિંચન અને જૈન ધર્મના મૂલ્યવાન જ્ઞાન સાથે સર્વાંગી જીવન વિકાસની પ્રવુતિઓ / વિદ્યાર્થિનીઓ માટેની ઉત્તમ તક
જૂન-જુલાઈ ૨૦૨૩ થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી આપની દીકરીઓ માટે શૈક્ષણિક સુવિધાઓયુક્ત કન્યા છાત્રાલયમાં ધોરણ ૫ થી ૧૨ તથા વધુ અભ્યાસ અર્થે કૉલેજ સુધી પ્રવેશ માટે ની ઉત્તમ તક પ્રાપ્ત થઇ શકશે.
જે અંગેની કેટલીક વિગતો નીચે મુજબ છે.
(૧) સંસ્થામાં જૈન દીકરીઓને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં ભણતી દીકરીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
(૨) સંસ્થામાં રહીને અભ્યાસ કરતી ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની દીકરીઓને વ્યવહારિક અભ્યાસની સાથે વ્યવસાયલક્ક્ષી અભ્યાસ, ધાર્મિક અભ્યાસ તેમજ ઈતર પ્રવૃતિની તાલીમ આપવામાં આવે છે.