05/06/2020
ફક્ત ગુજરાત ની જ વાત કરીએ તો, ગુજરાત ની વસ્તી 6 કરોડ, દરેક વ્યક્તિ જો એક છોડ ઉછેરે તો વિચારવા જેવી બાબત છે કે કેટલા છોડ નો ઉમેરો થાય આ પૃથ્વી પર?
કેટલા ડિગ્રી તાપમાન માં ઘટાડો થશે!
કેટલો વરસાદ વધશે!
કેટલો પોલ્યુશન માં ઘટાડો થશે!
કેટલું ઑકસીજન વધશે!
હંમેશા આપણે આ પર્યાવરણ થી લીધું જ છે, હવે આપવા નો વારો આપણો છે આપણી આવનાર પેઢી માટે.
આ પર્યાવરણ ને બચવા માટે ના એક પગલાં રૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગ્રીન ફોરેસ્ટ ઇકો ફાર્મ સ્ટે, બોરડી ગામ, મોડાસા, જી. અરવલ્લી. આપને ગ્રીન ફોરેસ્ટ ના ગ્રીન અર્થ અભિયાન માં જોડાવા આગ્રહ કરે છે.
આપ આ અભિયાન માં જોડાવા આપના ઘર આંગણે એક છોડ વાવી એની માવજત કરી ને આપના ફોટો સોશ્યિલ મીડિયા પર મૂકી ગ્રીન ફોરેસ્ટ ને ટેગ કરી ને બીજા ને પણ પ્રોત્સાન આપો.